Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટતાજા સમાચાર

Dhurandhar 2 Twist: રણવીર સિંહની ફિલ્મમાં 5 મોટા ધડાકા, દાઉદ ઈબ્રાહિમ અને જમીલ જમાલીના રહસ્યો પરથી ઉઠ્યો પડદો

Dhurandhar 2 Twist: રણવીર સિંહની ફિલ્મમાં 5 મોટા ધડાકા, દાઉદ ઈબ્રાહિમ અને જમીલ જમાલીના રહસ્યો પરથી ઉઠ્યો પડદો

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં એક્શનની સાથે એવા 5 મોટા ટ્વિસ્ટ છે જેણે દર્શકોને ચોંકાવી દીધા છે. અંડરવર્લ્ડ, જાસૂસી અને રાજકારણનો આ ખતરનાક ખેલ દરેક મોડ પર નવો વળાંક લે છે.

ફિલ્મના 5 સૌથી મોટા ટ્વિસ્ટ:

1. કોણ છે આ ‘મોટા સાહેબ’? ફિલ્મમાં ‘મોટા સાહેબ’ બીજું કોઈ નહીં પણ દાઉદ ઈબ્રાહિમ છે. ડેનિશ ઈકબાલ આ પાત્ર ભજવી રહ્યો છે. તે માત્ર ગેંગસ્ટર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલો મોહરો છે. તે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોટા ઉલટફેરની યોજના ઘડતો જોવા મળે છે.

2. ગૌરવ ગેરા (આલમ) નું બલિદાન ફિલ્મનો સૌથી ભાવુક વળાંક આલમનું મૃત્યુ છે. રણવીર સિંહને પકડાતા બચાવવા માટે આલમ પોતાની જાન કુરબાન કરી દે છે. આ કોઈ અકસ્માત નહીં, પણ રણવીરને બચાવવા માટેનું એક મોટું ષડયંત્ર હતું.

3. જમીલ જમાલીની અસલી ઓળખ જમીલ જમાલી આખી ફિલ્મમાં સ્વાર્થી પાકિસ્તાની નેતા લાગે છે. પણ ક્લાઈમેક્સમાં ખબર પડે છે કે તે દાયકાઓથી ‘ડી-કંપની’ અને ભારતીય એજન્સીઓ વચ્ચે ‘ડબલ એજન્ટ’ તરીકે કામ કરતો હતો. તે જ રણવીરને પાકિસ્તાનમાંથી સુરક્ષિત બહાર કાઢે છે.

4. અર્જુન રામપાલના પિતાની સત્યતા મેજર ઈકબાલ (અર્જુન રામપાલ) ના પિતાનો ભૂતકાળ ડરામણો છે. તેના પિતાએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથે ગદ્દારી કરી હતી અને અનેક ગુનાઓ આચર્યા હતા. આ ઘટસ્ફોટ અર્જુનના પાત્રને વધુ ઘાતક બનાવે છે.

5. દાઉદ ઈબ્રાહિમને ‘સ્લો પોઈઝન’ સૌથી મોટો ધડાકો ફિલ્મની છેલ્લે થાય છે. દાઉદ ઈબ્રાહિમની હાલત કોઈ દુશ્મનને કારણે નહીં, પણ તેના સૌથી ખાસ જમીલ જમાલીને કારણે બગડી છે. જમીલ 45 વર્ષથી પાકિસ્તાનમાં રહી રહેલો ભારતીય એજન્ટ છે, જે દાઉદને ધીમું ઝેર (Slow Poison) આપી રહ્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

IITવાળા બાબાએ કર્યા લગ્ન: કર્ણાટકની એન્જિનિયર યુવતી બની પત્ની, પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા ઝજ્જર

praxpatel

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel

‘દરેક સંકટનો બોજ લોકો પર જ કેમ?’ PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો વળતો પ્રહાર

praxpatel