બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આલોક નાથ પોતાના જમાનાના એવા કલાકારોમાંથી એક છે જેમણે પડદા પર પિતાના રોલથી લઈને વિલન સુધીના પાત્રો ખૂબ જ સુંદર રીતે ભજવ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેમને “સંસ્કારી બાબુજી” નું ટેગ મળ્યું હતું. જોકે, વર્ષ ૨૦૧૮માં આવેલી #MeToo મૂવમેન્ટ (MeToo movement) દરમિયાન કેટલીક મહિલાઓએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા બાદ તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. આ વિવાદ પછી તેઓ લાઈમલાઈટથી સાવ દૂર થઈ ગયા છે. તાજેતરમાં જ આલોક નાથના બાળપણના મિત્ર અને અભિનેતા રાજેશ પુરીએ (Rajesh Puri) એક ઇન્ટરવ્યુમાં તેમના હાલના દિવસો અને બદલાયેલી જિંદગી વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સાવ ગાયબ થઈ ગયા છે મની કંટ્રોલના અહેવાલ મુજબ, રાજેશ પુરીએ જણાવ્યું કે આલોક નાથે પોતે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી (Film industry) અંતર બનાવી લીધું છે. તેઓ હવે એકાંત અને શાંત જિંદગી જીવી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. રાજેશે કહ્યું, “જ્યારે આલોક નાથ પર #MeToo ના આરોપો લાગ્યા ત્યારે દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ હતી કારણ કે તેમની છબી એક સંસ્કારી અભિનેતાની હતી. આ આરોપો બાદ તેમણે પોતાને બધાથી અલગ કરી દીધા અને તેઓ ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ગાયબ જ થઈ ગયા છે.”
દારૂ પીધા પછી ખૂબ જ આક્રમક અને બેકાબૂ બની જતા પોતાના જૂના મિત્રનો પક્ષ લેતા રાજેશે સ્વીકાર્યું કે કદાચ તેના મિત્રથી ભૂલો થઈ હોય, પરંતુ તે દિલનો સારો માણસ છે. રાજેશે ઉમેર્યું, “આલોક બહુ સાફ દિલનો માણસ છે અને હવે તે પૂરેપૂરો બદલાઈ ગયો છે. હવે તે દારૂ પણ નથી પીતો. પરંતુ તેનામાં બે નકારાત્મક બાબતો હતી. એક તો તે પોતાના વિશેની ખરાબ વાતો સહન નહોતો કરી શકતો અને બીજી બાબત દારૂ (Alcohol) હતી. તે બહુ ખરાબ રીતે દારૂ પીતો હતો અને તેની અસર પણ તેના પર પડી.”
રાજેશે વધુમાં દાવો કર્યો કે આઉટડોર શૂટિંગ (Outdoor shooting) દરમિયાન તેમણે ક્યારેય આલોકને કોઈની સાથે ગેરવર્તણૂક કરતા જોયો નહોતો, પરંતુ દારૂ પીધા પછી તેમનું વર્તન સાવ બદલાઈ જતું હતું અને તેઓ ખૂબ જ આક્રમક તેમજ બેકાબૂ બની જતા હતા.
એક ઉત્કૃષ્ટ ટેલેન્ટ બરબાદ થઈ ગયું આલોક નાથ હવે એક્ટિંગ (Acting) અને લોકોથી એટલા દૂર થઈ ગયા છે કે મિત્રોના આગ્રહ છતાં તેઓ ક્યાંય જતા નથી. રાજેશ પુરીએ કહ્યું, “હું ઘણીવાર તેને મારા ફાર્મહાઉસ પર કે ઘરે આવવાનું આમંત્રણ આપું છું, પણ તે વાતને ટાળી દે છે. ક્યારેક તે ફોન પર બહુ સારી રીતે વાત કરે છે. પણ મને દુઃખ થાય છે કે એક ઉત્કૃષ્ટ ટેલેન્ટ (Talent) આ રીતે બરબાદ થઈ ગયું. તે હવે નવા કામના ઓફર્સ સ્વીકારતો નથી અને કહે છે કે તે ઘરેથી જ કામ કરે છે. તે અંદરથી બહુ જ આહત (દુઃખી) છે.”
‘ધૂંધ વગર અગ્નિ ન હોય’, હવે આધ્યાત્મ તરફ વળ્યા વાતચીતના અંતે રાજેશે કહ્યું કે, “જે થયું તે થયું, આગ વગર ધુમાડો નીકળતો નથી. તેમને પણ પોતાની ભૂલોનો પસ્તાવો છે. હવે તે કોઈનો સામનો કરવા માંગતા નથી.” તેમણે જણાવ્યું કે આલોક નાથ હવે આધ્યાત્મિકતા (Spirituality) તરફ વળી ગયા છે અને જીવનના આ મુશ્કેલ તબક્કામાં શાંતિ અને સાચું માર્ગદર્શન મેળવવા માટે ગુરુ શરણે ગયા છે. જોકે, તેઓ સત્સંગમાં જવાનું પણ ટાળે છે અને ઘરમાં જ રહીને સમય વિતાવે છે.
