Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ભાયાવદર કોલેજ ભરતી કૌભાંડ: પરીક્ષા પહેલા જે નામ આપ્યું હતું એ જ ઉમેદવારની પસંદગી! જાણો શું છે સમગ્ર મામલો

ભાયાવદર કોલેજ ભરતી કૌભાંડ: પરીક્ષા પહેલા જે નામ આપ્યું હતું એ જ ઉમેદવારની પસંદગી! જાણો શું છે સમગ્ર મામલો

ભાયાવદર: રાજ્યમાં ફરી એકવાર ભરતી પ્રક્રિયામાં ‘સેટિંગ’ના આરોપોએ ખળભળાટ મચાવ્યો છે. ભાયાવદરની શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં પૂર્વ-આયોજિત ખેલ ખેલાયો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

શું છે સમગ્ર ઘટના?

ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની એક જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી માટે ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ NOC મળી હતી. જેનું આખરી પરિણામ ૧ મે ૨૦૨૬ ના રોજ જાહેર થયું છે.

ભવિષ્યવાણી સાચી પડી?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ પરીક્ષા લેવાય તે પહેલા જ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ ભરતીમાં ‘ભુવા હર્ષ અનિલભાઈ’ નામના ઉમેદવારની જ પસંદગી થશે. નવાઈની વાત એ છે કે, પરિણામ જાહેર થતા એ જ ઉમેદવાર પ્રથમ ક્રમે પસંદ થયા છે.

ભરતી પ્રક્રિયાની ટાઈમલાઇન:

  • પ્રાથમિક પરીક્ષા: ૧૬ માર્ચ ૨૦૨૬

  • મુખ્ય પરીક્ષા: ૧૯ એપ્રિલ ૨૦૨૬

  • આખરી પરિણામ: ૧ મે ૨૦૨૬

યુવરાજસિંહ જાડેજાના આકરા સવાલો

વિદ્યાર્થી નેતાએ સોશિયલ મીડિયા પર પુરાવાઓ સાથે સરકારને ઘેરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે:

  • જો નામ જોગ અગાઉ રજૂઆત કરી હતી, તો તપાસ કેમ ન થઈ?

  • શું શિક્ષણ સંસ્થાઓમાં લાયક ઉમેદવાર માટે કોઈ જગ્યા નથી?

  • શું આ માત્ર ‘સેટિંગ’ કરનારાઓ માટે જ ભરતી હતી?

મુખ્ય માંગણીઓ:

૧. આ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. ૨. હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય. ૩. જવાબદાર કોલેજ મેનેજમેન્ટ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાય.

આ કિસ્સાએ ફરી એકવાર પારદર્શક પરીક્ષા પદ્ધતિ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કર્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

કેન્દ્રીય કર્મીઓ સહિત પેન્શનરો માટે ખુશ ખબર! વાંચો 8માં પગારપંચ પર લેટેસ્ટ અપડેટ

aminparmar

IPL 2026 પહેલા KKR ને મોટો ઝટકો: સ્ટાર બોલર હર્ષિત રાણા કાખઘોડીના સહારે જોવા મળ્યો!

praxpatel

સાઉદી અરેબિયા : અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ, ૧૪ લોકોના કમકમાટીભર્યા મોત

praxpatel