આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. પરિણામે, તમામ પક્ષોએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છે. પીએમ મોદી એ પશ્ચિમ બંગાળમાં પણ પ્રચાર કર્યો. આ સમયગાળા દરમિયાન, તેમણે અનેક જાહેર સભાઓ, રેલીઓ અને રોડ શો કર્યા. પ્રચાર સમાપ્ત થાય તે પહેલાં, તેમણે પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો. પીએમ મોદી એ તેમના પત્રમાં કહ્યું, “આ પત્ર દ્વારા, હું બંગાળમાં મારા પરિવારના દરેક સભ્ય પ્રત્યે મારી લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું.” તેમણે કહ્યું કે બંગાળનો દરેક નાગરિક, દરેક પરિવાર એક જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે: “હવે આપણને ડર પૂરો થઈ ગયો છે; હવે આપણને વિશ્વાસની જરૂર છે, હવે આપણને ભાજપની જરૂર છે.”પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બંગાળના નાગરિકોને એક ખાસ પત્ર લખ્યો છે. પીએમ મોદી એ આ પત્ર દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા બંગાળમાં પરિવર્તનનો હુંકાર કર્યો છે.
“બંગાળમાં મેં અદભૂત ઉર્જા અનુભવી”
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ પત્ર શેર કરતા લખ્યું કે, “આ પ્રચાર અભિયાન દરમિયાન મને જે સ્નેહ મળ્યો છે, તેણે મને નવી ઉર્જાથી ભરી દીધો છે. કાળઝાળ ગરમી હોવા છતાં રલીઓ અને રોડ શો મારા માટે તીર્થયાત્રા સમાન રહ્યા છે. મા કાલીના આશીર્વાદ મને સતત શક્તિ આપતા રહ્યા છે.”
पश्चिम बंगाल के पूरे चुनाव अभियान के दौरान मुझे अपने परिवारजनों का जो अपार स्नेह और आशीर्वाद मिला है, उसने एक नई ऊर्जा से भर दिया है। यहां की युवाशक्ति हो या नारीशक्ति, हमारे किसान भाई-बहन हों, श्रमिक या फिर कारोबारी, सभी ‘विकसित बंगाल’ के लिए संकल्पित हैं। मैंने इस पत्र में उनके… pic.twitter.com/IKH447nWn2
— Narendra Modi (@narendramodi) April 27, 2026
પરિવર્તન માટે જનતા અધીરી
પીએમ મોદી એ પત્રમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે:
-
વિકસિત બંગાળનો સંકલ્પ: બંગાળના યુવાનો, મહિલાઓ અને ખેડૂતો હવે વિકાસ માટે અધીરા છે.
-
ભય મુક્ત બંગાળ: પીએમએ લખ્યું કે, “ખૂબ ડર વેઠ્યો, હવે ભરોસો જોઈએ અને હવે બંગાળમાં ભાજપ જોઈએ.”
-
યુવા અને નારીશક્તિ: બંગાળના યુવાનો આગળ વધવા માટે ખુલ્લું મેદાન અને દીકરીઓ સુરક્ષિત આકાશ ઈચ્છે છે.
સેવા કરવાનું આપ્યું વચન
વડાપ્રધાને બંગાળની જનતાને ખાતરી આપી છે કે બંગાળને સુરક્ષિત અને વિકસિત બનાવવું એ તેમનું વચન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “હું તમને ભરોસો આપું છું કે આપણે સૌ મળીને બંગાળમાં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણનો ઉત્સવ ઉજવીશું.”
