ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006ના મૅરેજ ઍક્ટમાં સુધાર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યાં છે.
બિલ રજૂ કરતી વખતે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ઓળખ બદલીને છેતરપિંડીથી થતાં લગ્નોને અટકાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ મુદ્દે અમે અલગ-અલગ વકીલ, યુવતીઓ તથા માતા-પિતા સાથે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ બિલમાં લગ્ન કરનારાંઓનાં માતા-પિતાની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય તેના માટે પૉર્ટલ પણ બનાવવામાં આવશે.
જોકે, કાયદાના જાણકારો તેની બંધારણીય સુસંગતતા, વ્યક્તિના અધિકાર તથા સરકારની દખલ જેવા મુદ્દા ઊઠાવે છે.
