કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં યશરાજસિંહના પત્ની રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી એ શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
યશરાજસિંહના રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેમના લગ્નને હજી ૨ મહિના જ થયા છે. યશરાજસિંહે પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. હવે આ ઘટના માં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં A ડિવિઝનના ACP ફરિયાદી બન્યા.
