મહિલા ટી20 વર્લ્ડ કપ 2026: આઈસીસી (ICC) મહિલા ટી20 વર્લ્ડ કપની 10મી આવૃત્તિનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થઈ ચૂક્યો છે. આ મેગા ઈવેન્ટમાં ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરવા જઈ રહી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાનારી આ મેચ પર સમગ્ર વિશ્વની નજર છે. પરંતુ મેચ પહેલા ક્રિકેટ સિવાય એક અલગ જ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે, શું ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સાથે મેચ બાદ હાથ મિલાવશે (Handshake) કે નહીં? આ સવાલ પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે બે ટૂંક જવાબ આપ્યો છે.
અમે અહીં માત્ર ક્રિકેટ રમવા આવ્યા છીએ: હરમનપ્રીત
મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે હરમનપ્રીત કૌરને પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમે અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ અને અમે અન્ય કોઈ બાબત વિશે વાત કરવા માંગતા નથી.” હરમનપ્રીતના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે ટીમનું પૂરું ધ્યાન માત્ર મેચ જીતવા પર જ કેન્દ્રિત છે.
શું છે ટીમ ઈન્ડિયાની ‘નો હેન્ડશેક પોલિસી’?
ભારતીય મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમે વર્ષ 2025ના મેન્સ એશિયા કપથી જ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ‘નો હેન્ડશેક પોલિસી’ (હાથ ન મિલાવવાનો નિયમ) અપનાવેલી છે.
-
આ પોલિસી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, અંડર-19 એશિયા કપ અને અંડર-19 વર્લ્ડ કપમાં પણ જોવા મળી હતી.
-
આ પહેલા વર્ષ 2025ના વનડે વર્લ્ડ કપમાં જ્યારે કોલંબોના મેદાન પર બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવ્યા નહોતા.
ટ્રેક રેકોર્ડમાં ભારતનું પલ્લું ભારે
જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી20 રેકોર્ડ પર નજર કરીએ તો ભારતીય ટીમ ઘણી આગળ દેખાય છે:
આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે પાકિસ્તાન પર હંમેશા દબદબો જાળવી રાખ્યો છે અને હરમનપ્રીત બ્રિગેડ આ વખતે પણ જીત સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માટે હોટ ફેવરિટ છે.
