મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 4 વર્ષના માસૂમ બાળકની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. આ બાળકની હત્યા તેની માતાના પ્રેમીએ જ કરી હોવાનો ખુલાસો થયો છે.
સામાન્ય મોત બતાવવાનો પ્રયાસ નિષ્ફળ
આરોપીએ આ જઘન્ય ગુનાને છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
-
તેણે પોલીસને ગુમરાહ કરવા બાળકના મોતને ‘સામાન્ય મોત’ ગણાવવાની કોશિશ કરી હતી.
-
પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ તેની પોલ ખુલી ગઈ હતી.
-
આ ઘટના થાણેના કાશીમીરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
-
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી શંભુ શર્માની ધરપકડ કરી લીધી છે.
શરીર પરથી મળ્યા ઈજાના શંકાસ્પદ નિશાન
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક બાળકની માતા આરોપી શંભુ શર્મા સાથે લિવ-ઈનમાં રહેતી હતી.
-
ઘટનાના દિવસે આરોપીએ ઘરમાં જ માસૂમ બાળક પર બેરહેમીથી હુમલો કર્યો હતો.
-
મારઝૂડ એટલી ગંભીર હતી કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
-
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનું પંચનામું કર્યું, ત્યારે બાળકના શરીર પર ઈજાના કેટલાક શંકાસ્પદ નિશાન જોવા મળ્યા હતા.
-
આથી પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
મંગળવારે આવેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો હતો.
-
રિપોર્ટમાં સ્પષ્ટ પુષ્ટિ થઈ કે બાળકનું મોત કોઈ બીમારી કે સામાન્ય કારણોસર નથી થયું.
-
તેનું મોત શરીર પર થયેલી ગંભીર આંતરિક ઈજાઓના કારણે થયું છે.
-
આ રિપોર્ટના આધારે પોલીસે શંભુ શર્માની કડકાઈથી પૂછપરછ શરૂ કરી.
-
પોલીસની પૂછપરછ સામે આરોપી વધારે સમય ટકી શક્યો નહીં અને તેણે બાળકની બેરહેમીથી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી.
હત્યા પાછળનું કારણ શું છે?
કાશીમીરા પોલીસે આરોપી શંભુ શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
-
જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
-
આરોપીએ બાળક પર આટલો ઘાતક હુમલો કેમ કર્યો, તેની સઘન તપાસ ચાલી રહી છે.
-
આ ઉપરાંત, આ સમગ્ર ઘટનામાં બાળકની માતાની કોઈ ભૂમિકા છે કે કેમ અને તેને આ વાતની જાણ હતી કે નહીં, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
<
