ચહેરો ગમે એટલો સુંદર કેમ ન હોય, પણ જો તેના પર કરચલીઓ, ખીલ કે કાળા ડાઘા પડી જાય તો ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. જો તમે પણ ત્વચાની આવી સમસ્યાઓથી પરેશાન છો, તો એલોવેરા જેલ (Aloe Vera Gel) તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
એલોવેરામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણો ત્વચાને અંદરથી પોષણ આપે છે. રોજ રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને ડાઘ-ધબ્બા ધીમે-ધીમે આછા થવા લાગે છે.
ડાઘ-ધબ્બા દૂર કરવામાં એલોવેરા કેમ છે ફાયદાકારક?
એલોવેરામાં ‘એલોઇન’ અને ‘એલોસિન’ નામના ખાસ તત્વો હોય છે. આ તત્વો ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન નિયંત્રિત કરે છે. તે ત્વચાને ઊંડાણપૂર્વક ભેજ આપીને નવા સેલ્સ (કોષો) બનાવવામાં મદદ કરે છે. આ કારણે સનબર્ન, પિગમેન્ટેશન (ઝીણી કરચલીઓ) અને ખીલના હઠીલા ડાઘ ધીમે-ધીમે સાફ થઈ જાય છે.
એલોવેરા જેલ લગાવવાના અન્ય અદભુત ફાયદા
રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવીને સૂવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે:
-
નેચરલ મોઇશ્ચરાઇઝર: એલોવેરા જેલ ત્વચાને ચીકણી બનાવ્યા વગર ડીપ હાઇડ્રેટ કરે છે. રાત્રભર તેને ચહેરા પર રાખવાથી સ્કિન સોફ્ટ અને ફ્રેશ દેખાય છે. ખાસ કરીને ડ્રાય સ્કિન વાળા માટે આ વરદાન સમાન છે.
-
સન ટેનિંગથી રાહત: તડકા અને પ્રદૂષણને કારણે ત્વચા પર બળતરા કે ટેનિંગ થઈ ગયું હોય, તો એલોવેરા સ્કિનને ઠંડક આપે છે. તેનાથી સન ડેમેજ ઓછું થાય છે અને ત્વચા તરોતાજા બને છે.
-
નેચરલ ગ્લો (કુદરતી ચમક): એલોવેરા સ્કિનને પ્રોપર ન્યુટ્રિશન આપે છે. રોજ રાત્રે તેનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા પર કુદરતી નિખાર આવે છે અને સ્કિન એકદમ ક્લિયર દેખાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ?
એલોવેરા જેલનો ઉપયોગ કરવાની સાચી રીત ખૂબ જ સરળ છે:
-
સૌથી પહેલા રાત્રે ફેસવોશથી ચહેરાને સારી રીતે સાફ કરી લો.
-
હવે ફ્રેશ એલોવેરા પ્લાન્ટમાંથી જેલ કાઢો અથવા બજારમાં મળતી શુદ્ધ એલોવેરા જેલ લો.
-
હળવા હાથે આખા ચહેરા પર મસાજ કરતા કરતા જેલ લગાવો.
-
આ જેલને રાત્રભર ચહેરા પર રહેવા દો અને સવારે ઉઠીને સાદા પાણીથી મોં ધોઈ લો.
ડિસ્ક્લેમર (Disclaimer): આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. ત્વચા સંબંધિત કોઈપણ નવો પ્રયોગ અથવા ઘરેલું ઉપાય અજમાવતા પહેલા તમારા સ્કીન સ્પેશિયાલિસ્ટ (Dermatologist) અથવા ડૉક્ટરની સલાહ જરૂર લો. દરેક વ્યક્તિની સ્કિન ટાઇપ અલગ-અલગ હોય છે, તેથી ચહેરા પર લગાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો.
