છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે. કેનાલની સાઇડ ઢાળનું RCC લેયર તૂટી જતાં સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઇડ ઢાળ પરનું RCC લેયર ઘણા સમયથી તૂટી ગયેલું હોવાથી સ્થાનિકમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો છે. આ મામલે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ ન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, મોરખલા ગામ નજીક કેનાલની સાઇડ પરનું RCC લેયર અનેક જગ્યાએ તૂટી ગયું છે, જેના કારણે માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને ગાબડાં પડતાં દેખાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આ જગ્યાએ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તકલાદી કામને કારણે ફરીથી લેયર તૂટી પડ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોરખલા પાસે કેનાલની સાઇડ પરનું RCC લેયર અનેક જગ્યાએથી તૂટી ગયું છે. લેયર તૂટવાને કારણે અંદરની માટીનું ધોવાણ થઈ રહ્યું છે.
-
નબળું રિપેરિંગ: થોડા સમય પહેલા જ અહીં સમારકામ કરવામાં આવ્યું હતું.
-
સ્થાનિકોના આક્ષેપ: તકલાદી કામગીરીને કારણે ફરીથી ગાબડા પડ્યા છે.
-
ભ્રષ્ટાચારની આશંકા: અબજો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલમાં વારંવાર પડતા ગાબડાથી કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
ગ્રામજનો અને ખેડૂતોમાં ચિંતા
નર્મદા મુખ્ય કેનાલ અનેક ગામો માટે જીવનદોરી સમાન છે. જો આ ગાબડાં મોટા થાય અને કેનાલ તૂટે, તો આસપાસના ખેતરો અને ગામોમાં પાણી ફરી વળવાની શક્યતા છે.
લોકોની માગ: ગ્રામજનોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે.
વારંવારની રજૂઆતો છતાં તંત્રની ઢીલી કામગીરીને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નક્કર પગલાં લેવા જરૂરી છે.
