બોલિવૂડની ટોપ સિંગર જેસ્મીન સેન્ડલાસે તાજેતરમાં જ પોતાની જિંદગીના સૌથી અંધકારમય તબક્કા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ‘ધુરંધર’ જેવી 1700 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મમાં ગીતો ગાનાર આ સિંગરે દારૂની લત અને પારિવારિક સંઘર્ષ વિશે દિલ ખોલીને વાત કરી છે.
બાળપણનું દર્દ અને માતા-પિતા સાથે અણબનાવ
તાજેતરમાં એક પોડકાસ્ટમાં જેસ્મીને સ્વીકાર્યું કે તેનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું. તેણે કહ્યું કે, “જ્યારે કોઈ બાળકનું દિલ તૂટે છે, ત્યારે તે હંમેશા માટે તૂટેલું જ રહી જાય છે.” જેસ્મીનને તેના માતા-પિતા તરફથી જે સુરક્ષા અને માર્ગદર્શનની જરૂર હતી તે મળી શક્યું નહીં, જેના કારણે તેના મનમાં લાંબા સમય સુધી નારાજગી રહી હતી.
View this post on Instagram
દારૂની લત અને માનસિક તૂટવાનો દોર
જેસ્મીને જણાવ્યું કે તેના જીવનના 2-3 વર્ષ એવા હતા જ્યારે તે નશામાં ડૂબેલી રહેતી હતી. એક તરફ તે કરિયરની ઊંચાઈ પર હતી, તો બીજી તરફ પિતાનું નિધન અને પારિવારિક કલહે તેને તોડી નાખી હતી. તેણે પસ્તાવો વ્યક્ત કરતા કહ્યું કે, “મેં જરૂર કરતાં વધુ દારૂ પીધો હતો, હું ભગવાન પાસે પ્રાર્થના કરતી કે પ્લીઝ મને બચાવી લો, મને એક તક આપો.”
પરિવારના સાથથી મળ્યું નવું જીવન
જેસ્મીને તેની રિકવરીનો શ્રેય તેની માતા અને પરિવારને આપ્યો. જ્યારે તે સંપૂર્ણપણે હારી ગઈ હતી, ત્યારે પરિવારે તેને પ્રેમ આપ્યો અને જૂની આદતોમાંથી બહાર આવવામાં મદદ કરી. તેણે ચાહકોને સંદેશ આપ્યો કે, “તમારી જિંદગીમાંથી ઝેરીલી વસ્તુઓ દૂર કરો, તમને નવું જીવન મળશે. પરિવારથી ક્યારેય દૂર ન ભાગો.”
‘કિક’ થી ઓળખ અને ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા
-
શરૂઆત: 2008માં ‘મુસ્કાન’ ગીતથી કરિયર શરૂ કર્યું.
-
ઓળખ: 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ ના ‘યાર ના મિલે’ ગીતથી મળી.
-
તાજેતરની સફળતા: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ગીતો જેવા કે ‘શરારત’ અને ‘મેં ઔર તૂ’ સુપરહિટ સાબિત થયા છે.
