Gujarat Plus
Breaking News
ક્રાઇમતાજા સમાચાર

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

મહારાષ્ટ્રના દુર્ગાપુર વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી 29 વર્ષીય પ્રિયંકાના મોતનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. તેનો 22 વર્ષીય પ્રેમી અંકેશ યોગેશ બહિરવાર, જે અત્યાર સુધી આને આત્મહત્યા ગણાવી રહ્યો હતો, તે જ તેનો કાતિલ નીકળ્યો છે.

શું હતો સમગ્ર લિવ-ઈન મામલો?

મૃતક પ્રિયંકા પોતાના પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન તેને સોનાપુરના અંકેશ સાથે પ્રેમ થયો હતો. બંને ચંદ્રપુરમાં લિવ-ઈન માં રહેતા હતા. જોકે, થોડા સમય પછી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા.

હત્યા પાછળનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિયંકા અને અંકેશ વચ્ચે સતત તણાવ રહેતો હતો. પ્રિયંકા અંકેશ પર દબાણ કરતી હતી અને તેને તેના પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર વિવાદો થતા હતા.

કેવી રીતે ભાંડો ફૂટ્યો?

14 માર્ચની રાત્રે અંકેશે પ્રિયંકાના પિતાને ફોન કરીને કહ્યું, “પ્રિયંકા વાત નથી કરતી, તે બેભાન છે, કદાચ તેણે આત્મહત્યા કરી લીધી છે.” હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં આ કેસ આત્મહત્યાનો લાગતો હતો, પરંતુ:

  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ: 20 દિવસ પછી આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો કે પ્રિયંકાનું મોત ગળું દબાવવાને કારણે થયું છે.

  • હત્યાનું હથિયાર: આરોપીએ મોબાઈલ ચાર્જરના વાયરથી પ્રેમિકાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી.

પોલીસ કાર્યવાહી

પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા અંકેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ વાયર અને એક્સટેન્શન બોર્ડ જપ્ત કર્યું છે. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

14 માર્ચની રાત્રે અંકેશે પ્રિયંકાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રિયંકા મારી સાથે વાત કરતી નથી અને તે બેહોશ થઈ ગઈ છે. કદાચ તેણે આત્મહત્યા કરી લીધી છે.’ જ્યારે પરિવારના સભ્યો ઉપર ગયા ત્યારે પ્રિયંકા બેભાન અવસ્થામાં હતી. પછી તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં આત્મહત્યા જેવું લાગતું હતું, જોકે ગુરુવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રેમીની કરતૂત સામે આવી ગઈ છે. રિપોર્ટ મુજબ અંકેશે મોબાઈલ ચાર્જરના વાયરથી પ્રિયંકાનું ગળું દબાવતા તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

સંબંધિત પોસ્ટ્સ

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યએ માંડ્યો મોરચો

ANIL PATEL

પતિ બન્યો હેવાન: પત્નીની હત્યા કરી લાશને સેપ્ટિક ટેન્કમાં છુપાવી, 4 વર્ષના માસૂમે ખોલ્યો પિતાનો ક્રૂર રાજ

praxpatel

અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ !

ANIL PATEL