Gujarat Plus
Breaking News
અન્યઆંતરરાષ્ટ્રીયગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

ઈરાનથી નીકળી જવા ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને દેશ(ઈરાન) છોડવાની અપીલ કરી છે. જેમાં નિર્દેશ અપાયા છે કે લોકો કોઈપણ રીતે જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય. દૂતાવાસે આ મામલે કેટલાક અન્ય નિર્દેશ પણ આપ્યા છે.

ભારત સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી પોતાની એડવાઈઝરીને ફરી જાહેર કરી છે, જેમાં લોકોને સાવધાની રાખવાની અપીલ કરાઈ હતી. એડવાઈઝરીમાં લખ્યું હતું કે, ‘તમામ ભારતીય નાગરિક અને PIOને સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ, વિરોધ કે પ્રદર્શનવાળી જગ્યાઓથી બચવું જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ડેવલપમેન્ટ માટે લોકલ મીડિયા પર નજર રાખવી જોઈએ.’

હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો
દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપતા, તેમને પોતાના ઇમિગ્રેશન અને ટ્રાવેલ ડોક્યૂમેન્ટ્સ પોતાની પાસે રાખવા અને કોઈપણ મદદ માટે ઈન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે આ અંગે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. ફસાયેલા નાગરિકો આ મોબાઈલ નંબરો પર સંપર્ક કરીને મદદ માગી શકે છે: +989128109115, +989128109109, +989128109102, +989932179359.

અમેરિકા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા

ગત મહિને ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદથી જ અમેરિકા ખામેનેઈ શાસનને સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપી રહ્યું છે. ગત મહિનાથી લઈને અત્યાર સુધી અમેરિકા મિડલ ઈસ્ટમાં મોટી સંખ્યામાં સૈન્ય તૈનાતી કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગત અઠવાડિયે ફરી એકવાર નિવેદન આપ્યું છે કે તેઓ ઈરાન પર હુમલાનો વિચાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બંને પક્ષો વચ્ચે પરમાણુ વાટાઘાટો પણ ચાલી રહી છે. જોકે, તેનાથી કોઈ ઉકેલ આવતો નજરે નથી પડી રહ્યો.

'ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ...', યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ 2 - image

સંબંધિત પોસ્ટ્સ

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

Maheriya Nirali

સોનાના દાગીના માટે નવો નિયમ: દરેક ઘરેણાને મળશે ‘યુનિક આઈડી’, છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારની કડક તૈયારી

praxpatel

ગુજરાત પર બે દિવસ ‘ભારે’: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે સરકારની નવી એડવાઇઝરી જાહેર

praxpatel