Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘રાજકીય ફાયદા માટે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે વિપક્ષ’

કેરલમના પલક્કડમાં PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અને ખેડૂતોના મુદ્દે પીએમએ શું કહ્યું? વાંચો અહીં.

કેરલમના પલક્કડમાં આયોજિત જનસભામાં PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને ખાડી દેશોના મુદ્દે કોંગ્રેસની નિવેદનબાજીને પીએમએ ‘ખતરનાક’ ગણાવી છે.

ખાડી દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ; pm

પીએમ મોદીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ વચ્ચે ભારત સરકાર સતત સક્રિય છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું:

  • કોંગ્રેસ પોતાની રાજનીતિ માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે.

  • ખાડી દેશોમાં અંદાજે 1 કરોડ ભારતીયો વસે છે.

  • વિપક્ષની ખોટી ટિપ્પણીઓ આ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.

  • ભારત સરકાર સતત વિશ્વના નેતાઓના સંપર્કમાં છે.

કેરલમના ખેડૂતો માટે ‘મોદીની ગેરંટી’

રાજ્યમાં ખેડૂતોની હાલાકી મુદ્દે પીએમએ રાજ્ય સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ડાંગરની ખરીદીમાં વિલંબ અને પેમેન્ટ ન મળવાને કારણે ખેડૂતો પરેશાન છે.

“ખેડૂતોની સમસ્યાનું સમાધાન માત્ર ભાજપ પાસે છે. NDA સરકાર આવશે તો ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળશે, આ મોદીની ગેરંટી છે.”

LDF અને UDF પર ભ્રષ્ટાચારના આરોપ

વડાપ્રધાને કેરલમના બંને મુખ્ય રાજકીય ગઠબંધન LDF અને UDF પર નિશાન સાધતા કહ્યું કે, આ બંને પક્ષો ભ્રષ્ટાચારી છે અને ભાજપથી ડરેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓથી આ બંને પક્ષોએ મોટા કૌભાંડો કર્યા છે, પરંતુ એકબીજા સામે ક્યારેય કાર્યવાહી કરતા નથી. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો આ તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ANIL PATEL