Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 11 જૂનથી નર્મદાની નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

ગુજરાત સરકારે રાજ્યના જગતના તાત એટલે કે ખેડૂતોના હિતમાં એક બહુ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી ગુરૂવાર, ૧૧ જૂન ૨૦૨૬ થી નર્મદા ની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સામાન્ય શિડ્યુલ કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાક (ચોમાસુ પાક) ની તૈયારી કરી રહેલા લાખો ખેડૂતોને ખૂબ મોટી રાહત મળશે.

બેઠક બાદ લેવાયો આ સકારાત્મક નિર્ણય

નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખેડૂતો વતી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની પાણીની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રીએ વહેલું પાણી છોડવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.

તંત્રને સજ્જ રહેવા આદેશ

સરકાર દ્વારા યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નહેરો દ્વારા પાણીના આયોજનબદ્ધ વિતરણ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. ખેડૂતોના પાકને સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગના તંત્રને સંપૂર્ણ રીતે સજ્જ રહેવા જણાવાયું છે. આ વર્ષે નર્મદા ડેમમાં પાણીનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ હોવાથી નહેરોમાં વહેલું પાણી છોડવું શક્ય બન્યું છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આગોતરા જામીન ફગાવી શકાય, પણ સરન્ડરનો આદેશ ન આપી શકાય

praxpatel

MI vs GT: કોણ છે દાનિશ માલેવાર અને કૃષ ભગત? મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત વિરૂદ્ધ આ બે યુવા ચહેરાઓને આપી તક

praxpatel

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus