ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ દેશમાં શોકનો માહોલ છે. આગામી 9 જુલાઈ 2026 ના રોજ તેમને દફનાવવામાં આવશે. પરંતુ તેમના અંતિમ સંસ્કારને લઈને ઈરાન સરકાર ભારે ચિંતામાં છે. જર્મન અખબાર ‘ડાઈ વેલ્ટ’ (Die Welt) ના એક અહેવાલે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે.
3,000 સુધી નવી કબરો તૈયાર કરાઈ
રિપોર્ટ અનુસાર, ઈરાન પ્રશાસને ખૂબ જ ગુપ્ત રીતે ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. અંતિમ સંસ્કાર દરમિયાન ભારે ભીડને કારણે મોટી દુર્ઘટના થવાની આશંકા છે.
-
કબરોની તૈયારી: તેહરાનના ‘બેહિશ્ત-એ ઝહરા’ કબ્રસ્તાનમાં હજારો નવી કબરો ખોદવામાં આવી રહી છે.
-
મોતનો અંદાજ: પ્રશાસનને ડર છે કે ભગદડ અથવા કોઈ અણધારી ઘટનામાં 1,500 થી 3,000 લોકોના મોત થઈ શકે છે.
-
ખાસ યુનિટ: સંભવિત મૃત્યુ અને ગુમ થયેલા લોકોની સ્થિતિને પહોંચી વળવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.
9 જુલાઈ સુધી ચાલશે અંતિમ યાત્રા
અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમ યાત્રા શનિવારથી તેહરાનમાં શરૂ થઈ ગઈ છે.
-
આ યાત્રા પવિત્ર શહેર ‘કોમ’ થી થઈને ઈરાકના ‘નજફ’ અને ‘કરબલા’ સુધી જશે.
-
ગુરુવારે (9 જુલાઈ) ના રોજ ‘મશહદ’ શહેરમાં આ સમારોહ પૂર્ણ થશે, જ્યાં તેમને દફનાવવામાં આવશે.
-
સમગ્ર તેહરાનમાં અવરજવર પર પ્રતિબંધો મુકાયા છે.
-
લોકો માટે હજારો બસો, અસ્થાયી રસોડા અને શાળાઓ-મસ્જિદોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભૂતકાળમાં પણ સર્જાઈ ચૂકી છે આવી દુર્ઘટના
ઈરાન પ્રશાસનનો આ ડર અમસ્તો નથી. આ પહેલા પણ ઈરાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન મોટી દુર્ઘટનાઓ થઈ ચૂકી છે:
સુરક્ષાનો મોટો ખતરો
ભીડ અને ગરમી સિવાય ઈરાનને સુરક્ષાનો પણ મોટો ખતરો સતાવી રહ્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન ઈરાન પર કોઈ હુમલો ન થાય.
આ ચેતવણી ઈઝરાયેલે આપેલા એક નિવેદન બાદ આવી છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ “મોતના નિશાના” પર છે.
ડિસ્ક્લેમર (Disclaimer): આ આર્ટિકલ આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને જર્મન અખબાર ‘ડાઈ વેલ્ટ’ના અહેવાલ પર આધારિત છે. અમે આ વિગતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતા નથી.
