ભારતમાં અત્યારે CCTV કેમેરાની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. દેશમાં વેચાતા મોટાભાગના ચાઈનીઝ કેમેરા લોકોની પ્રાઈવસી અને દેશની સિક્યુરિટી માટે ખતરો બની રહ્યા છે. અહેવાલો મુજબ, આગામી 1 એપ્રિલથી સરકાર આ બાબતે મોટો નિર્ણય લઈ શકે છે.
કઈ બ્રાન્ડ્સ પર પડી શકે છે અસર?
નવા નિયમો મુજબ, જે કેમેરા પાસે યોગ્ય સર્ટિફિકેશન નથી તેના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. જેમાં મુખ્યત્વે નીચેની ચાઈનીઝ કંપનીઓનો સમાવેશ થાય છે:
-
Hikvision
-
Dahua
-
TP-Link
પાકિસ્તાન સુધી પહોંચી રહી હતી ભારતીય CCTV ફીડ્સ!
થોડા સમય પહેલા એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતના અનેક રેલવે સ્ટેશનો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચી રહ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હવે સરકાર માત્ર એવા જ કેમેરાની ખરીદીને મંજૂરી આપશે જે સંપૂર્ણપણે સુરક્ષિત અને સર્ટિફાઈડ હોય.
શું છે મુખ્ય જોખમ?
આજના સમયમાં મોટાભાગના CCTV કેમેરા ઈન્ટરનેટ અને કંપનીના સર્વર સાથે જોડાયેલા હોય છે. જો કેમેરાનું સોફ્ટવેર કે સર્વર સુરક્ષિત ન હોય, તો તમારી વીડિયો ફીડ્સ હેકર્સ અથવા અન્ય દેશો પાસે પહોંચી શકે છે.
-
ડેટા ચોરી: ચાઈનીઝ સોફ્ટવેર દ્વારા ડેટા વિદેશી સર્વર પર મોકલવામાં આવે છે.
-
હેકિંગ: યુદ્ધ કે સાયબર વોર સમયે દુશ્મનો આ કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવી શકે છે.
-
જૂના પાસવર્ડ: દેશમાં કરોડો કેમેરા એવા છે જેના પાસવર્ડ ક્યારેય બદલવામાં આવ્યા નથી, જે સૌથી વધુ જોખમી છે.
નવા નિયમોથી શું બદલાશે?
સરકાર હવે દરેક CCTV કેમેરાનું કડક ટેસ્ટિંગ કરશે. હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટીની તપાસ કર્યા બાદ જ તેને વેચવાનું સર્ટિફિકેટ મળશે.
-
કિંમતમાં વધારો: સસ્તા ચાઈનીઝ કેમેરા હટવાથી માર્કેટમાં કેમેરાની કિંમત વધી શકે છે.
-
ભારતીય કંપનીઓને તક: આ નિર્ણયથી મેક-ઈન-ઈન્ડિયા હેઠળ કામ કરતી ભારતીય કંપનીઓને પ્રોત્સાહન મળશે.
નિષ્ણાતોનું માનવું છે કે સરકારે જાહેર સ્થળોએ લાગેલા તમામ જૂના કેમેરાનું પણ તાત્કાલિક સિક્યુરિટી ઓડિટ કરાવવું જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના રોકી શકાય
