ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રાહકોની સુવિધા માટે એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. હવે તમારે જો તમારી બેંક પસંદ ન હોય, તો એકાઉન્ટ નંબર બદલ્યા વગર જ બીજી બેંકમાં જઈ શકશો.
શું છે RBIનો ‘પેમેન્ટ્સ વિઝન 2028’ પ્લાન?
RBI હાલમાં ‘બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી’ સિસ્ટમ પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને પોતાની મરજી મુજબની બેંક પસંદ કરવાની આઝાદી મળશે. જેવી રીતે આપણે મોબાઈલ નંબર એ જ રાખીને કંપની બદલીએ છીએ, તેવી જ રીતે હવે બેંક પણ બદલી શકાશે.
ગ્રાહકોને કયા ફાયદા થશે?
અત્યારે બેંક બદલવી હોય તો નવું ખાતું ખોલાવવું પડે છે. તેમાં જૂના ડોક્યુમેન્ટ્સ અને કેવાયસી (KYC)ની લાંબી પ્રોસેસ કરવી પડે છે. પરંતુ નવી સિસ્ટમથી નીચે મુજબના ફાયદા થશે:
-
નંબર એ જ રહેશે: તમારો જૂનો બેંક એકાઉન્ટ નંબર કાયમી બની જશે.
-
ઓટો-પેમેન્ટની ઝંઝટ ખતમ: પગાર, લોનના હપ્તા (EMI), મ્યુચ્યુઅલ ફંડ (SIP) અને ગેસ સબસિડી જેવી વિગતો આપોઆપ નવી બેંકમાં ટ્રાન્સફર થઈ જશે.
-
પેપરવર્ક ઘટશે: વારંવાર ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની જરૂર નહીં પડે.
-
બેંકોની મનમાની અટકશે: જો બેંક સારી સર્વિસ નહીં આપે અથવા વધુ ચાર્જ વસૂલશે, તો ગ્રાહક તરત જ બીજી બેંકમાં જઈ શકશે.
સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
RBI એક સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. જ્યારે તમે બેંક પોર્ટ કરશો, ત્યારે નવી બેંક તમારા જૂના નંબરને પોતાની સિસ્ટમમાં સ્વીકારી લેશે. તમારી તમામ નાણાકીય વિગતો સુરક્ષિત રીતે નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
આ ફેરફારથી બેંકિંગ ક્ષેત્રમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળતી થશે.
