ઉનાળાની સિઝન શરૂ થતા જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ જાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી સુરક્ષિત છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ શાલિની બ્લિસ આ અંગે મહત્વની જાણકારી આપી રહ્યા છે.
શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે?
નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું સાવ બંધ કરવાની જરૂર નથી. કેરીમાં ફાઈબર, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. જોકે, કેરીમાં કુદરતી શુગર (ફ્રુક્ટોઝ) વધુ હોવાથી તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ.
દિવસમાં કેટલી અને ક્યારે કેરી ખાવી?
ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાતી વખતે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
-
મર્યાદિત માત્રા: દિવસમાં માત્ર અડધી અથવા એક નાની કેરી ખાવી સુરક્ષિત છે.
-
યોગ્ય સમય: કેરી ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો છે. બપોરના જમ્યા પછી કેરી ખાવી જોઈએ જેથી શરીર તેને સરળતાથી પચાવી શકે.
-
બ્લડ શુગર લેવલ: જો તમારું શુગર લેવલ કંટ્રોલમાં હોય તો જ કેરી ખાવાનું સાહસ કરવું.
કેરી ખાતી વખતે શું સાવધાની રાખવી?
-
રસ કે શેક ટાળો: કેરીનો રસ (મેંગો જ્યુસ) કે મેંગો શેક પીવાને બદલે આખું ફળ ખાવું વધુ હિતાવહ છે. ફળમાં રહેલા ફાઈબર શુગરના વધારાને ધીમો પાડે છે.
-
કાર્બોહાઇડ્રેટનું સંતુલન: જે દિવસે તમે કેરી ખાઓ તે દિવસે ખોરાકમાં અન્ય કાર્બોહાઇડ્રેટ્સ અને મીઠી વસ્તુઓનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ.
-
અન્ય હાઈ શુગર ફૂડ ન ખાઓ: કેરી સાથે અન્ય મીઠાઈઓ ખાવાનું ટાળો.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. તમારા ડાયટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.
