બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મ જોયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર દિલ ખોલીને વખાણ કર્યા છે. કોહલીએ આ ફિલ્મને પોતાનો અત્યાર સુધીનો ‘શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ’ ગણાવ્યો છે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
ફિલ્મ જોયા બાદ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “મેં આજે આ ફિલ્મ જોઈ અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મેં ભારતમાં આવો સિનેમેટિક અનુભવ પહેલા ક્યારેય નથી જોયો. આ ફિલ્મે દરેક પ્રકારની લાગણીઓને જગાડી છે.”
-
ડાયરેક્ટરના વખાણ: કોહલીએ આદિત્ય ધરને ‘જીનીયસ’ ગણાવતા કહ્યું કે તેમનો મજબૂત ઈરાદો ફિલ્મની દરેક ફ્રેમમાં દેખાય છે.
-
રણવીર સિંહનું પરફોર્મન્સ: રણવીરના વખાણ કરતા વિરાટે લખ્યું, “આ ફિલ્મ બાદ તમે એક અલગ જ સ્તર પર પહોંચી ગયા છો. તમારું પરફોર્મન્સ શાનદાર હતું, વાહ!”
-
4 કલાકનો જાદુ: વિરાટે ઉમેર્યું કે 4 કલાકની આ ફિલ્મ દરમિયાન તે એક ક્ષણ માટે પણ સીટ પરથી ખસી શક્યો નહોતો.

અનુષ્કા શર્માએ પણ આપી પ્રતિક્રિયા
અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ ફિલ્મની પ્રશંસા કરતા લખ્યું કે, 4 કલાક લાંબી ફિલ્મ આટલી જકડી રાખે તેવી બનાવવી એ નિર્દેશકનો દૃઢ વિશ્વાસ દર્શાવે છે. તેણે રણવીર સિંહના અભિનયને ‘ફ્લોલેસ’ ગણાવ્યો હતો. આ ઉપરાંત આર. માધવન, અર્જુન રામપાલ અને રાકેશ બેદી જેવા કલાકારોના કામને પણ તેણે બિરદાવ્યું હતું.

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ નો દબદબો
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા અને કલાકારોના અભિનયના કારણે સોશિયલ મીડિયા પર તેની સતત ચર્ચા થઈ રહી છે. વિરાટ અને અનુષ્કા જેવા દિગ્ગજોના રિવ્યૂ બાદ ફિલ્મની લોકપ્રિયતામાં વધુ વધારો જોવા મળી રહ્યો છે.
