Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારાશે સ્ટાફ

Cervical Cancer Vaccine: દેશની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 14થી 15 વર્ષની વયની કિશોરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે હવે સમગ્ર દેશમાં વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ગુજરાતમાં પણ રસીકરણનો મંગળ પ્રારંભ થયો છે.

5 લાખથી વધુ કિશોરીઓને રસી અપાશે

મળતી માહિતી અનુસાર, રાજ્યની આશરે 5.5 લાખ કિશોરીઓને આ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. આ રસીકરણ ઝુંબેશ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રો પર ચલાવવામાં આવશે. ગંભીર બીમારીઓ સામે પૂર્વ-તૈયારી કરી આરોગ્યપ્રદ સમાજનું નિર્માણ કરવું અને મહિલા સશક્તિકરણને વેગ આપવો.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ આધુનિક સારવાર મળી રહે એ માટે હયાત 27ના મહેકમમાથી કુલ 40ના મહેકમ પ્રમાણે નવીન મહેકમ મુજબ સામુદાયિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન મહેકમ મુજબ વધારાના 5 તજજ્ઞો જેવા કે, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી-રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, જનરલ સર્જન, એનેસ્થેશિઓલૉજીસ્ટ અને પેરામેડિકલ સ્ટાફ જેવા કે, એકસ-રે ટેકનીશીયન,  લેબોરેટરી ટેકનીશીયન, સ્ટાફ નર્સ તેમજ અન્ય વર્ગ-3 અને વર્ગ-4ની વધારાની જગ્યાઓ મંજુર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે આગામી વર્ષોમાં તબક્કાવાર તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નવીન મહેકમ પેટર્ન મુજબ વધારાની જગ્યાઓ મંજૂર કરવા અને તે મુજબ જરૂરીયાત પ્રમાણે આનુંષાઞિક કાર્યવાહી કરવામાં આવશે.

સર્વાઈકલ કેન્સર ચિંતાજનક આંકડા

આરોગ્ય મંત્રી દ્વારા આપેલી માહિતી અનુસાર, ગત વર્ષે દેશમાં સર્વાઈકલ કેન્સરના 79 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી આશરે 34 હજાર મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક આંકડાઓ જ દર્શાવે છે કે સમયસર રસીકરણ કેટલું અનિવાર્ય છે.

શું છે સર્વાઈકલ કેન્સર?

મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે, જેમાં ખાસ કરીને HPV 16 અને HPV 18 પ્રકારના વાયરસ જવાબદાર હોય છે. જો 14 થી 15 વર્ષની વયે જ આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે. આ રસી વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવે છે.

સરકારની આ પહેલથી હવે મોંઘી ગણાતી આ રસી સામાન્ય પરિવારની દીકરીઓને પણ ઉપલબ્ધ થશે, જે લાંબે ગાળે માતૃત્વ અને મહિલા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

 

સંબંધિત પોસ્ટ્સ

મુંબઈના ‘વિવિયન રિચાર્ડ્સ’ અનિલ ગુરવનો કરુણ અંત, સચિન પણ જેમનાથી પ્રભાવિત હતા

praxpatel

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar

માધવપુર ઘેડનો મેળો 2026: દરિયાકિનારે જામશે ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નો રોમાંચ, 650 ખેલાડીઓ બતાવશે કસબ

praxpatel