superstition: ઓડિશાના બોલાંગીર જિલ્લામાંથી અંધશ્રદ્ધા અને ક્રૂરતાની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. એક શખસે પોતાની પત્નીને પરત મેળવવા માટે તાંત્રિક વિધિ અને નરબલિની શંકા હેઠળ પોતાના જ 40 વર્ષીય મિત્ર સંતોષ ખારસેલને જમવાના બહાને ઘરે બોલાવી ધારદાર હથિયારથી તેનું માથું ધડથી અલગ કરી નિર્મમ હત્યા કરી નાખી છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
પત્નીને પાછી મેળવવા તાંત્રિક વિધિના નામે મિત્રની ક્રૂર હત્યા કરી નરબલિ અપાયાની શંકા.
-
જમવાના બહાને ઘરે બોલાવી 40 વર્ષીય સંતોષ ખારસેલનું ગળું કાપી માથું ધડથી અલગ કર્યું.
-
ઓડિશાના બોલાંગીર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી, આરોપીની અટકાયત.
જમવાના બહાને બોલાવી ઘાતકી હત્યા
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીની પત્ની પારિવારિક વિવાદને કારણે તેને છોડીને જતી રહી હતી. પત્નીને કોઈપણ ભોગે પાછી મેળવવા માટે આરોપી અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના રવાડે ચઢ્યો હતો. તેણે યોજના બનાવી પોતાના મિત્ર સંતોષને જમવા માટે ઘરે બોલાવ્યો હતો. જમ્યા બાદ જ્યારે સંતોષ બેઠો હતો ત્યારે આરોપીએ અચાનક પાછળથી ધારદાર હથિયાર વડે હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં જ બોલાંગીર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું છે અને આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ હત્યા પાછળ વાસ્તવમાં નરબલિનો ઇરાદો હતો કે પછી કોઈ અન્ય અંગત અદાવત, તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’: અભિજીત દીપકે અમેરિકાથી ભારત આવશે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ