ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર ભિક્ષાવૃત્તિની સામાજિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ભિક્ષુકો ને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા ‘ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાન’ ના પ્રથમ તબક્કામાં ગુજરાતના 4 મહત્વના શહેરો અને ધાર્મિક-પ્રવાસન કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભિક્ષાવૃત્તિ અટકાવવાનો જ નથી, પરંતુ ભિક્ષુકો નું યોગ્ય કાઉન્સિલિંગ કરી, તેમને સરકારી યોજનાઓના દસ્તાવેજો બનાવી આપી અને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ આપીને સન્માનભેર આજીવિકા પૂરું પાડવાનો છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
પ્રથમ તબક્કામાં ગુજરાતના 4 મુખ્ય કેન્દ્રોની પસંદગી: વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર (કેવડિયા) અને પાવાગઢ.
-
ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આશ્રય આપી પ્રોફેશનલ કાઉન્સિલિંગ દ્વારા પુનર્વસન કરાશે.
-
ઓળખ કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવા જરૂરી સરકારી દસ્તાવેજો બનાવી અપાશે.
-
પ્રધાનમંત્રી દક્ષ યોજના (PM-DAKSH) અંતર્ગત રોજગારલક્ષી સ્કિલ ટ્રેનિંગ આપી સ્વનિર્ભર બનાવાશે.
પસંદ કરાયેલા 4 મુખ્ય સ્થળો:
કેવી રીતે ચાલશે પુનર્વસન પ્રક્રિયા?
-
આશ્રય અને આઇડેન્ટિફિકેશન: પસંદ કરાયેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળો પરથી ભિક્ષુકોને એકઠા કરી સુરક્ષિત શેલ્ટર હોમમાં આશરો અપાશે.
-
પ્રોફેશનલ કાઉન્સિલિંગ: ભિક્ષાવૃત્તિ છોડીને નવું સન્માનજનક જીવન શરૂ કરવા માટે નિષ્ણાતો દ્વારા માનસિક કાઉન્સિલિંગ કરવામાં આવશે.
-
દસ્તાવેજીકરણ: ઓળખપત્ર, રેશન કાર્ડ અને આરોગ્ય સુરક્ષા માટે આયુષ્માન કાર્ડ જેવા તમામ જરૂરી સરકારી દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે.
-
કૌશલ્ય વિકાસ તાલીમ: પ્રધાનમંત્રી દક્ષ યોજના હેઠળ તેમની ક્ષમતા મુજબ વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે જેથી તેઓ જાતે રોજગાર મેળવી સ્વનિર્ભર બની શકે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ મોના પાંચાલના જણાવ્યા અનુસાર, આ અભિયાન દ્વારા ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા લોકોને સન્માનજનક જીવન જીવવાની નવી તક મળશે અને ગુજરાતના પ્રવાસન સ્થળો વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે.
