Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

માતાના નિધન પછી ગોવિંદા આપઘાત કરવાના હતા? નર્મદા નદીમાં ઉતરી ગયા હતા એક્ટર, દર્દ છલકાયું

: માતાના નિધન પછી ગોવિંદા આપઘાત કરવાના હતા? નર્મદા નદીમાં ઉતરી ગયા હતા એક્ટર, દર્દ છલકાયું

પોતાની માતાના નિધન પછી બોલિવૂડ એક્ટર ગોવિંદા અત્યંત ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. માતાને ફરી મળવાની ઘેલછામાં તેઓ નર્મદા નદીમાં ઉતરી ગયા હતા. એ દિવસોને યાદ કરીને ગોવિંદાએ ખુલાસો કર્યો છે કે તે સમયે તેમના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવી રહ્યો હતો.

માતા સાથેનો અપ્રતિમ પ્રેમ અને વિરહનું દર્દ

ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ ઘણી વાર કહ્યું છે કે તેઓ આગામી જન્મમાં પ્રાર્થના કરશે કે ગોવિંદા તેમને પુત્ર તરીકે મળે, કારણ કે ગોવિંદા પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા.

હવે ગોવિંદાએ પોતાની માતા નિર્મલા દેવી સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે અને જણાવ્યું કે તેમના મોતે તેમને કેટલા ભાંગી નાખ્યા હતા. ગોવિંદાની માતાનું નિધન વર્ષ 1996માં થયું હતું. માતાને ખોવાનું દુઃખ એટલું અસહ્ય હતું કે એક વાર તેઓ નર્મદા નદીના પાણીમાં આગળ વધવા લાગ્યા હતા, જેથી માતાને ફરી મળી શકાય.

નર્મદા નદીમાં ઉતરી ગયા હતા ગોવિંદા

એક ઈન્ટરવ્યુ (ANI) દરમિયાન ગોવિંદાએ એ સમયના દર્દને યાદ કરતા કહ્યું:

“હું ખૂબ જ તકલીફમાં હતો. તે સમયે મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું છે, આ જ અંત છે. હું નર્મદા નદી પાસે હતો અને મેં વિચાર્યું કે હું નદીમાં થોડો વધુ આગળ જઈશ તો મારી માતાને ફરી મળી શકીશ. એટલા માટે હું પાણીમાં ઉતરી ગયો હતો.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ગોવિંદાએ કહ્યું:

“ક્યાંક ને ક્યાંક એવું જ હતું. હું મારી માતા સાથે ખૂબ જ જોડાયેલો હતો. પરંતુ હું મારી એ હિલચાલને જીવન ટૂંકાવવાના પ્રયાસ તરીકે નથી જોતો. દુનિયા એને આત્મહત્યા કહે છે, પણ અમારે ત્યાં એવું નથી હોતું. જિંદગી ક્યારેય ખતમ નથી થતી, તે નવું રૂપ અને નવો આકાર લે છે.”

પૂજારીએ જીવ બચાવ્યો અને નવો મકસદ મળ્યો

ગોવિંદાએ યાદ કર્યું કે તે સમયે ‘રામ કુંડલ’ નામના એક પૂજારીએ તેમને બૂમ પાડીને નદીમાંથી બહાર આવવા કહ્યું હતું.

ગોવિંદાએ ઉમેર્યું:

“તેમણે મને અવાજ આપ્યો અને મારી તરફ આવ્યા. હું નદીમાંથી બહાર આવ્યો અને તેમણે પૂછ્યું કે ‘શું થયું ગોવિંદા?’ ત્યારે મને અહેસાસ થયો કે કોઈએ મને ટોકીને કંઈક ખોટું કરતા રોક્યો છે. મને પાઠ શીખવા મળ્યો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.”

તે માનસિક સ્થિતિમાંથી બહાર આવતા અને જિંદગીનો નવો મકસદ શોધતા ગોવિંદાને 15 દિવસથી વધુ સમય લાગ્યો હતો. આ દર્દનાક અનુભવે તેમના કરિયર અને સ્ટારડમને જોવાનો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી નાખ્યો.


સંબંધિત પોસ્ટ્સ

તમન્ના ભાટિયા પર કરેલી ટિપ્પણી પર અન્નુ કપૂરની સફાઈ: ‘ગાળો પડી પણ મારો ઈરાદો ખોટો નહોતો’

praxpatel

73 વર્ષીય ફિલ્મ સર્જક શકીલ નૂરાનીની દુષ્કર્મ અને બ્લેકમેલિંગના આરોપમાં સાતારાથી ધરપકડ

praxpatel

‘આવા પૈસાનું હું શું કરીશ?’ સાઈ પલ્લવીએ બહેન માટે ઠુકરાવી હતી ₹2 કરોડની એડ, સિમ્પલ લાઈફ પર કહી આ વાત

praxpatel