લોકસભામાં પેપર લીક સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. કન્નૌજના સાંસદ અખિલેશે NTA અને દેશમાં સતત થઈ રહેલા પેપર લીકના મુદ્દે સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
"69000 शिक्षक भर्ती को लेकर बड़े पैमाने पर घोटाला किया गया, जिसमे अधिकार छीना है वो सबसे ज्यादा पिछड़े और दलित बच्चों का अधिकार छीना है।"
– माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी pic.twitter.com/umxkhNocci
— Samajwadi Party (@samajwadiparty) July 28, 2026
રામ મંદિર અને પેપર લીક મુદ્દે સરકાર પર પ્રહાર
અખિલેશ યાદવે સંસદમાં સવાલ કરતા કહ્યું: “જે લોકો રામ મંદિરમાં ચઢાવાની ચોરી નથી રોકી શક્યા, તે પેપર લીક કેવી રીતે રોકશે?” તેમણે આરોપ લગાવ્યો કે સરકારની દાનત શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવાની નથી. તેમણે ઉમેર્યું કે ધાર્મિક સ્થળો પર ગુપ્ત દાનની પણ ચોરી થઈ રહી છે.
"जब से सरकार बनी है तब से सरकार कोशिश कर रही है कि शिक्षा, परीक्षा, यूनिवर्सिटी का ताना बाना पूरा ध्वस्त हो जाए उसको एक रंगी बना दे हम, उसमें अंडरग्राउंड लोग शामिल हो जाए।"
– माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी pic.twitter.com/xhBCKxZ8EW
— Samajwadi Party (@samajwadiparty) July 28, 2026
પ્રાથમિક શાળાઓ બંધ કરવા અને NTA સામે આરોપ
તેમણે સંસદમાં દાવો કર્યો હતો કે:
-
સરકારી આંકડા મુજબ 1 લાખથી વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવાઈ છે.
-
જેથી દલિત અને પછાત વર્ગના બાળકો આગળ ન વધી શકે.
-
મહત્વની શૈક્ષણિક સંસ્થાઓમાં આઉટસોર્સિંગ થઈ રહ્યું છે, જે જોખમી છે.
-
NTAમાંથી હટાવાયેલા લોકો કોણ હતા અને તેમની નિમણૂક કેવી રીતે થઈ તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
NEET પીડિતો માટે ₹1 કરોડના વળતરની માગ
NEET પેપર લીક વિવાદમાં કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરી તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી માગ કરી કે:
“સરકારે પીડિત બાળકોના દરેક પરિવારને ₹1-1 કરોડનું વળતર આપવું જોઈએ.”
‘ઈમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિ’
દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે બોલતાં અખિલેશે કહ્યું કે આજનો અન્યાય ઈમરજન્સી કરતાં પણ વધુ ખતરનાક છે. તેમણે આરોપ લગાવ્યો કે યુવા આંદોલનોને દબાવવા માટે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે.
"जो प्राइमरी स्कूल बंद किए हैं इसलिए बंद किये हैं आपने कि पिछड़े, दलित और गरीब परिवार के बच्चे पढ़ न जाये। एक लाख से ज्यादा प्राइमरी स्कूल बंद कर दिए इस सरकार ने, यूपी में सबसे ज्यादा प्राइमरी स्कूल बंद हुए।"
– माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी pic.twitter.com/oBduR4Wv2Q
— Samajwadi Party (@samajwadiparty) July 28, 2026
‘પ્રધાનને હટાવીને વડાપ્રધાનને બચાવી લીધા’
શિક્ષણ પ્રધાનના મુદ્દે કટાક્ષ કરતાં અખિલેશ યાદવે કહ્યું કે, “સરકારે એક પ્રધાનને હટાવીને વડાપ્રધાનને બચાવી લીધા છે.”
તેમણે ઉમેર્યું કે દેશની નવી પેઢીએ સાબિત કર્યું છે કે અહંકારી સરકારને પણ ઝુકાવી શકાય છે. શિક્ષણ સાચું હશે તો જ દેશની પ્રગતિ થશે.
