બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર એ પોતાના છ દાયકા લાંબા કરિયરમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ક્ષેત્રે સફળતા મેળવવાની સાથે તેમણે રિયલ એસ્ટેટમાં પણ ખૂબ સમજી-વિચારીને રોકાણ કર્યું હતું.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જીતેન્દ્રએ મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલા પોતાના બંગલા અંગે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
આર્થિક તંગીના કારણે ભરત ભૂષણે બંગલો વેચવો પડ્યો હતો
જીતેન્દ્રએ જણાવ્યું કે તે સમયે દિગ્ગજ અભિનેતા ભરત ભૂષણ ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. આથી તેમણે પોતાનો પાલી હિલ વાળો બંગલો વેચવાનો નિર્ણય લીધો હતો.
-
ભરત ભૂષણ જીતેન્દ્ર પાસે બંગલો વેચવાની ઓફર લઈને આવ્યા હતા.
-
જીતેન્દ્રએ પોતાના પિતા સાથે વાત કરી અને બંગલો ખરીદવાનો નિર્ણય લીધો.
-
તે સમયે જીતેન્દ્રનો પરિવાર એક નાના ચાલમાં 20×10ના રૂમમાં 8 લોકો સાથે રહેતો હતો.
-
જીતેન્દ્રએ 4.25 લાખ રૂપિયામાં 3,450 સ્ક્વેર ફીટનો પ્લોટ અને બંગલો ખરીદી લીધો હતો.
બંગલાની લાકડાંમાંથી જ ખરીદ કિંમત કરતાં ત્રણ ગણી કમાણી થઈ
બંગલો ખરીદ્યા પછી જીતેન્દ્રની સતત ચાર ફિલ્મો ફ્લોપ ગઈ હતી. જેથી તેમને આર્થિક નુકસાનનો ડર લાગવા માંડ્યો હતો. જોકે, પાછળથી આ પ્રોપર્ટી તેમના માટે સોનાની ખાણ સાબિત થઈ.
-
વર્ષો પછી જ્યારે એક ડેવલપરે રીડેવલપમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે જીતેન્દ્ર તૈયાર થઈ ગયા.
-
બંગલો તોડતી વખતે તેમાં વપરાયેલું બર્મા ટીક (સાગનું લાકડું) નીકળ્યું હતું.
-
જીતેન્દ્રએ માત્ર લાકડું વેચીને જ 11.5 લાખ રૂપિયા કમાઈ લીધા હતા.
-
4.25 લાખમાં ખરીદેલા બંગલાના લાકડામાંથી જ તેમને મૂળ કિંમત કરતાં લગભગ ત્રણ ગણો નફો થયો હતો.
આજે બંગલાની કિંમત પહોંચી 450 કરોડ રૂપિયા
જીતેન્દ્રનો આ પાલી હિલ સ્થિત બંગલો આજે મુંબઈની સૌથી મૂલ્યવાન પ્રોપર્ટીઝમાં ગણાય છે.
-
તે સમયે 4.25 લાખમાં ખરીદાયેલા આ પ્લોટ અને બંગલાની વર્તમાન કિંમત લગભગ 450 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
-
જીતેન્દ્રનું આ રોકાણ બોલિવૂડના સૌથી ફાયદાકારક રિયલ એસ્ટેટ નિર્ણયોમાંથી એક માનવામાં આવે છે.
