Bihar Politics : બિહારની રાજનીતિમાં આ દિવસોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે એવી ચર્ચાઓ વચ્ચે પટનામાં પાર્ટી કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં જનતા દળ યુનાઇટેડ (JDU)ના કાર્યકરો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.
મંત્રી પર હુમલાની ઘટના:
આ દરમિયાન એક ગંભીર ઘટના પણ બની. ભાજપના મંત્રી સુરેન્દ્ર મહેતા મુખ્યમંત્રી નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક કાર્યકરોએ તેમની કાર રોકી દીધી અને તેમની સામે વિરોધ વ્યક્ત કર્યો. આ ઘટનાથી પરિસ્થિતિ થોડા સમય માટે વધુ તંગ બની ગઈ.
મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર તણાવ :
ગુરુવારે સવારથી જ પટનામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર ભારે ભીડ જોવા મળી. ઘણા કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. કેટલાક કાર્યકરોનું માનવું છે કે નીતિશ કુમાર સામે કોઈ રાજકીય કાવતરું રચાઈ રહ્યું છે. આ તણાવ વચ્ચે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. બિહારના ડીજીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાન આસપાસના રસ્તાઓ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.
કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ : નીતિશ કુમાર મુખ્યમંત્રી જ રહે:
પાર્ટી કાર્યકરોનું કહેવું છે કે, નીતિશ કુમારે કોઈ પણ સ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે જ કામ કરવું જોઈએ. તેઓ રાજ્યસભામાં જવા અંગેની ચર્ચાથી નારાજ છે. ઘણા કાર્યકરોનું માનવું છે કે બિહારના લોકો અને પાર્ટીના કાર્યકરોની મહેનતથી જ નીતિશ કુમારને બહુમતી મળી છે, તેથી તેઓએ પોતાનો કાર્યકાળ અધવચ્ચે છોડવો યોગ્ય નથી.કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ : નીતિશ કુમાર મુખ્યમંત્રી જ રહે
પાર્ટી કાર્યકરોનું કહેવું છે કે, નીતિશ કુમારે કોઈ પણ સ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે જ કામ કરવું જોઈએ. તેઓ રાજ્યસભામાં જવા અંગેની ચર્ચાથી નારાજ છે. ઘણા કાર્યકરોનું માનવું છે કે બિહારના લોકો અને પાર્ટીના કાર્યકરોની મહેનતથી જ નીતિશ કુમારને બહુમતી મળી છે, તેથી તેઓએ પોતાનો કાર્યકાળ અધવચ્ચે છોડવો યોગ્ય નથી.
