Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોનું ઉદ્ધાટન કરીને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે.
Pm મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખતા, જિલ્લા વહીવટીતંત્રે વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગો સાથે સમીક્ષા બેઠકો શરૂ કરી છે.
રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીઓ રજા નહીં મળે. જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવાની સૂચના પણ અપાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તે બાબતને ધ્યાનમાં રાખીને હાલ રજા રદ કરવાનો નિર્ણય કરાયો છે.
