Khijdia-Bypass-in-Jamnagar
Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ

Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે.

ચાલુ કારમાં શોર્ટ સર્કિટ અને અફરાતફરી

મળતી વિગતો અનુસાર, કારના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારના એન્જિન ભાગમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવા લાગ્યા હતા. ખતરો પારખી ગયેલા ભીમશીભાઈ અને અન્ય ત્રણ સભ્યોએ તુરંત જ ચાલુ કાર ઊભી રાખી બહાર કૂદી ગયા હતા. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી અને કાર હાઈવે પર જ ભડભડ સળગવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા.

સંબંધિત પોસ્ટ્સ

વિશ્વઉમિયાધામ ખાતે સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ

ANIL PATEL

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર

Maheriya Nirali

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ANIL PATEL