રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને હનુમાનજી દાદા ને પ્રાર્થના કરી હતી. આ સમયે સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો પણ જોડાયા હતા, મહત્વની વાત એ છે કે મંદિરની આરતી લાઇવ આવે તેવું આયોજન કરવા રજુઆત કરી હતી.
મુકેશ અંબાણી દ્રારા આ માંગ સ્વીકારી આગામી દિવસ માં જિયો નેટવર્ક પર સાળંગપુર હનુમાનજી મંદિર ની આરતી લાઈવ નિહાળી શકે તેવું આયોજન કરવાની ખાત્રી આપવામાં આવી હતી. તો મંદિરના વિકાસમાં 5 કરોડની માતબર રકમ નું દાન પણ અપર્ણ કર્યુ હતું.
