કોલકાતા22 કલાક પેહલાકૉપી લિંક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય સરકારની જોબ ગેરંટી યોજના ‘કર્મશ્રી’નું નામ હવે મહાત્મા ગાંધીના નામ પર રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ પગલું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સન્માનમાં લેવામાં આવ્યું છે.મમતાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે કેન્દ્રએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) માંથી મહાત્મા ગાંધીનું નામ હટાવ્યું ત્યારે તે ખૂબ જ શરમજનક હતું. તેમણે કહ્યું કે જો કેન્દ્ર રાષ્ટ્રપિતાને સન્માન ન આપી શકે, તો અમે આપીશું. તેમણે કહ્યું-
આ યોજનાનું નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવાનો ઉદ્દેશ્ય ફક્ત તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવાનો જ નથી, પરંતુ બેરોજગારોને રોજગારની ગેરંટી આપવાની દિશામાં પણ મજબૂત સંદેશ આપવાનો છે.
ખરેખરમાં કેન્દ્ર સરકારે હાલમાં મનરેગાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ એટલે કે VB G Ram G કરવા માટે સંસદમાં બિલ રજૂ કર્યું હતું, જેને ગુરુવારે લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. વિરોધ પક્ષો સતત મહાત્મા ગાંધીનું નામ હટાવીને નવા બિલ લાવવાનો વિરોધ કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે બંગાળ એક શાંતિપૂર્ણ રાજ્ય છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી તમામ નકારાત્મક વાતો ખોટી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યની છબીને ખરાબ કરવાનો છે. તેમણે કહ્યું કે કેટલીક ખોટી ખબરો તથાકથિત સોશિયલ મીડિયા પરથી આવે છે, જે વીડિયો પોસ્ટ કરે છે અથવા બંગાળને બદનામ કરવા માટે ખોટી માહિતી ફેલાવે છે. પરંતુ હું કોઈને પડકારું છું, તેઓ બંગાળને નુકસાન પહોંચાડી શકતા નથી.કર્મ શ્રી યોજના વિશે જાણો…કર્મ શ્રી યોજના મુખ્યત્વે પશ્ચિમ બંગાળ સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યના મજૂરોને કામ આપવાનો છે, જેમાં 20 દિવસના કામ પછી બીજા પ્રોજેક્ટમાં કામ અપાવવાનો સમાવેશ થાય છે. કર્મ શ્રી યોજના શ્રમિકો અને યુવાનોના કૌશલ્ય વિકાસ, રોજગાર અને સામાજિક સુરક્ષા પર કેન્દ્રિત છે.
